શું વાઘના લિંગનો દારૂ, અંડકોષનો પાઉડર પુરુષોની જાતીય શક્તિ વધારે છે? જાણો ગર્ભ ધારણ કરવા શું શું કરે છે લોકો?

જૂના જમાનામાં પ્રજનન શ્રમતા અથવા તો પછી ફર્ટિલિટી માટે આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના વિશે આજે વિચારીએ તો ખૂબ જ આશ્ચર્ય લાગે એમ છે. આજે અમે તમને એવી જ એક રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં વાઘના લિંગ અને અંડકોષનો ઉપયોગ કરવામાં આવતો હતો.

શું વાઘના લિંગનો દારૂ, અંડકોષનો પાઉડર પુરુષોની જાતીય શક્તિ વધારે છે? જાણો ગર્ભ ધારણ કરવા શું શું કરે છે લોકો?

Tiger Penis Wine: આધુનિક સમયમાં ગર્ભધારણ કરવાની ઘણી ટેકનિકો સામે આવી ચૂકી છે, પરંતુ પ્રાચીન સમયમાં વંધ્યત્વને દૂર કરવા માટે ખૂબ જ વિચિત્ર પદ્ધતિઓ અપનાવવામાં આવતી હતી. તાજેતરમાં અમે તમને એક અહેવાલ દ્વારા જણાવ્યું હતું કે એક સમયે સાધ્વીઓના પેશાબમાંથી તૈયાર કરવામાં આવતી દવા પણ સ્ત્રીઓની વંધ્યત્વ દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થઈ હતી. આજે અમે તમને જણાવીશું કે એક સમયે પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરીને વાઘના પ્રાઈવેટ પાર્ટ્સ એટલે કે અંડકોષ અને લિંગની મદદથી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું હતું.

ક્યાં ઉપયોગમાં લેવાતી હતી વાઘના પ્રાઈવેટ પાર્ટની દવા?
પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિઓમાં વાઘના અંડકોષ અને લિંગને યૌન શક્તિ અને પ્રજનન ક્ષમતા વધારવાનું સાધન માનવામાં આવે છે. આ તમામનો ઉપયોગ ખાસ કરીને ચીન, થાઈલેન્ડ, વિયેતનામ અને કેટલાક અન્ય એશિયન દેશોમાં થતો હતો. એવું કહેવાય છે કે તે સમયે એવું માનવામાં આવતું હતું કે તેની તાકાત, આક્રમકતા અને પ્રજનન શક્તિ માટે જાણીતા વાઘના ગુપ્તાંગને ખાવાથી અથવા તેનાથી બનેલી દવાઓનો ઉપયોગ કરવાથી પુરુષોની જાતીય ક્ષમતામાં વધારો થાય છે. આ ઉપરાંત સંતાન પૈદા કરવામાં અસરકારક સાબિત થતી હતી.

વાઘના લિંગમાંથી બનાવવામાં આવતી હતી વાઇન
એવું માનવામાં આવતું હતું કે વાઘના લિંગને સૂકવીને અથવા ઉકાળીને અને તેને વાઇનમાં ભેળવીને ખાસ પ્રકારનો 'ટોનિક વાઇન' તૈયાર કરવામાં આવે છે. જેને 'ટાઈગર પેનિસ વાઈન' કહેવામાં આવતું હતું. વાઘના ગુપ્તાંગમાંથી બનાવેલ આ વાઇન ઉચ્ચ સ્તરની દવા માનવામાં આવતી હતી. જેનો ઉપયોગ મોટાભાગે પ્રભાવશાળી લોકો જ કરતા હતા.

અંડકોષને સૂકવીને  બનાવવામાં આવતો હતો પાવડર
આ સિવાય વાઘના અંડકોષને સૂકવીને અથવા પાઉડર કરીને અન્ય કેટલીક દવાઓમાં ભેળવવામાં આવતા હતા. જે બાદ આ દવાનો ઉપયોગ પુરુષોમાં શક્તિ અને પ્રજનન ક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યો હતો.

વિજ્ઞાને ફગાવી દીધો આ દાવો
જો કે, આ માન્યતાઓ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આધુનિક વિજ્ઞાન અનુસાર વાઘના લિંગ કે અંડકોષમાં એવી કોઈ ખાસ વસ્તુ નથી કે જેનાથી મનુષ્યની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે. આ પ્રકારની સારવાર સંપૂર્ણપણે અંધશ્રદ્ધા અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત માનવામાં આવતી હતી. એવું પણ શક્ય છે કે કેટલીકવાર તે લોકોની માનસિક માન્યતા અને પ્લાસિબો અસરને કારણે અસરકારક સાબિત થઈ જતું હોય.

વાઘનો થઈ રહ્યો છે ગેરકાયદેસર વેપાર
લોકોની આ માન્યતાને કારણે વાઘના ગુપ્તાંગની માંગ વધવા લાગી અને ગેરકાયદેસર શિકાર થવા લાગ્યા. આવી સ્થિતિમાં વાઘની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ વાઘ અને તેના ભાગોની ખરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે હજુ પણ કેટલીક જગ્યાએ કાળાબજાર દ્વારા તેનો વેપાર થઈ રહ્યો છે.

આ સમાચાર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે લખવામાં આવ્યા છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. આ સિવાય વિજ્ઞાને પણ આ દાવાઓને ફગાવી દીધા છે.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news