9 ફેબ્રુઆરીએ બની રહ્યો છે ભાગ્ય ચમકાવનાર નવપંચમ રાજયોગ, આ જાતકોને થશે બમ્પર લાભ

Rajyog 2025: શનિ અને મંગળ ગ્રહની જ્યોતિષમાં મહત્વની ભૂમિકા છે. જલ્દી શનિ તથા મંગળ મળીને નવપંચમ રાજયોગ બનાવી રહ્યાં છે, જે કેટલાક જાતકો માટે શુભ રહેવાનો છે. 

1/5
image

Navpancham Rajyog 2025: જ્યોતિષ અનુસાર આ સમયે શનિ કુંભ રાશિમાં છે અને મંગળ મિથુન રાશિમાં છે. શનિ ન્યાયના દેવતા છે અને ગ્રહોના સેનાપતિ મંગળ આત્મવિશ્વાસ, ઉર્જા તથા સાહસના કારક છે. આ બંને ગ્રહોની સ્થિતિમાં ફેરફાર જીવન પર મોટી અસર કરે છે. 

નવપંચમ રાજયોગ

2/5
image

9 ફેબ્રુઆરીએ મંગળ અને શનિ એકબીજાથી નવમાં અને પાંચમાં ભાવ એટલે કે આશરે 120 ડિગ્રી પર રહેશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. નવપંચમ રાજયોગને જ્યોતિષમાં શુભ માનવામાં આવ્યો છે. આવો જાણીએ આ રાજયોગ કયા જાતકો માટે શુભ રહેશે.

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. ભાગ્યનો સાથ મળવાથી દરેક કામમાં સફળતા મળશે. માન-સન્માન વધશે. વેપારમાં લાભ થશે. એક કરતા વધુ સ્ત્રોતથી પૈસા મળશે. પરંતુ ખોટા ખર્ચા કરવાનું ટાળવું જોઈએ.

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિના જાતકોને નવપંચમ રાજયોગ કરિયરમાં લાભ આપશે. સહકર્મીઓ સાથે સારો સંબંધ રહેશે. ધર્મ-આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. લાઇફ પાર્ટનર સાથે સમય પસાર કરશો.

મીન રાશિ

5/5
image

મીન રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ વિશેષ લાભ આપી શકે છે. જીવનમાં સુખ-સુવિધા વધશે. કરિયરમાં આવી રહેલી સમસ્યા દૂર થશે. શાંતિનો અનુભવ કરશો. ઘર-પરિવારમાં ખુશીઓ આવશે. લગ્ન જીવન સારૂ રહેશે.